મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના તમામ નદી-તળાવના જળ સ્ત્રોતમાં સાફ-સફાઈ

  • June 11, 2024 01:30 PM 

જામનગર મહાનગર પાલિકા  દ્વારા "નિર્મળ ગુજરાત ૨.૦" કાર્યકમ અંતર્ગત ગઈકાલે શહેરી વિસ્તારના તમામ નદી, તળાવ, પાણી ના સ્ત્રોત, સમુદ્ર કિનારાની સાફ સફાઇ કરવામાં આવી હતી. જ્યારે પીવાના પાણીના કાંસ, ઓવરહેડ ટાંકા, ફિલ્ટર પ્લાન્ટ વગેરે માં પણ સફાઇ કામગીરી કરવામાં આવી હતી.


આ કામગીરીમાં જામનગરમાં નગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓ, ઉપરાંત બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે શ્રમદાન માટે જોડાયા હતા, અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.


સમગ્ર કાર્યકમ માં આશરે ૨૧૨ જેટલા સ્થાનિક  લોકો અને ૨૫૦ સફાઈ કર્મચારી  દ્વારા આશરે  ૫૦૦  કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application