સ્વચ્છતાની વાતો વચ્ચે ફુલસર ધર્મિક મંદિર પાસે છેલ્લા પાંચ દિવસથી સફાઈ ન થતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. એક તરફ હાલ તા.૨૨ મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણપ્રતિસ્થા મહોત્સવ અંતર્ગત શહેર-જિલ્લાના ધર્મિક મંદિરોની સફાઈ કરવામાં તંત્ર અને રાજકીય પક્ષ દ્વારા મોટી મોટી વાતો કરવામાં અને ફોટા પડાવવામાં આવે છે. ત્યારે ફુલસર વિસ્તારમાં આસ્થાના કેન્દ્ર સમાન ઠાકરદ્વારા અને મોમાઈ માતાજીના મઢ પાસે સફાઈના અભાવે કચરાના ઢગલા જમ્યા હતા. જેને પગલે સ્થાનિક લોકો દ્વારા મનપાના અધિકારી અને પદાધિકારીઓને અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઇ નહી.
અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિસ્થા આગામી તા.૨૨ મી જાન્યુઆરીમાં રોજ થવાની છે. અને જેને લઇ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ધર્મિક સ્થાનોને સફાઈ સહીતના કર્યો કરવા જણાવ્યું હતી. જેને પગલે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન તેમજ ભાજપના તમામ આગેવાનોથી લઇને કાર્યકર્તાઓ કામે લાગી ગયા હતા. અને શહેરના તમામ ધર્મિક મંદિરોની સાફસફાઈ કરવામાં આવી હતી. જે સફાઈ અંગે મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ ફોટા પડાવી અને સોશ્યલ મીડિયામાં મુકવામાં આવે છે. પરંતુ શહેરમાં છેવાડામાં આવેલા ધર્મિક સ્થળોની આવડશા યથાવત જોવા મળી રહી છે. શહેરના ચિત્રા,ફુલસર ખાતે આવેલા ઠાકરદ્વારા અને મોમાઈ માતાજીના મઢ નજીક છેલ્લા ૫ દિવસથી વધુ સમયથી સફાઈ કરવામાં આવી નથી. સાથે જ ત્યાં ડ્રેનેજની લાઈન પર નાખેલા બ્લોક પણ તૂટી ગયા છે. જેને લઇ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. અને જે ફુલસર ખાતે રહેતા સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર મનપાના અધિકારી કે.એસ.ઝાપડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાને ફોન કરી અને વિટ્સએપ પર મેસેજ કરી ફોટા સાથે આપવા છતાં છેલ્લા પાંચ દિવસથી સફાઈ કરવામાં આવી નથી. તેમજ લોકો આક્ષેપ કર્યો હતો કે, ઉતરાયણનો ખીચડો માંગ્યા બાદ ન આપતાં સફાઈ બંધ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે સફાઈનું કારણ જે હોય તે પરંતુ હાલ શહેરના દરેક ધર્મિક સ્થાનોની સફાઈ કરવામાં આવી રહી છે. તો ફુલસરને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech