હાથરસમાં નાસભાગની દુર્ઘટનાના લગભગ 7 દિવસ બાદ યોગી સરકારે પહેલી કાર્યવાહી કરી છે. સરકારે એસડીએમસીઓ, ઈન્સ્પેક્ટર સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કયર્િ છે. સીટના રિપોર્ટ બાદ સરકારે આ કાર્યવાહી કરી છે. ગઈકાલે સીટએ હાથરસ દુર્ઘટના સંબંધિત 900 પાનાનો રિપોર્ટ મુખ્યમંત્રી યોગીને સોંપ્યો હતો.
હાથરસ નાસભાગ પર રચાયેલી સીટએ તેના સમગ્ર અહેવાલમાં ક્યાંય પણ નારાયણ સાકર હરિનો ઉલ્લેખ કર્યો નથી. રિપોર્ટમાં હાથરસ અકસ્માત માટે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને સ્થાનિક પ્રશાસન ઉપરાંત 6 અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. બે સભ્યોની તપાસ સમિતિએ તપાસ અહેવાલ સુપરત કર્યો હતો અને કહ્યું હતું કે ષડયંત્રને નકારી શકાય નહીં, તેથી સંપૂર્ણ તપાસની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાથરસ દુર્ઘટના આયોજકોની બેદરકારીને કારણે થઈ હતી. ભીડને આમંત્રિત કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
સીટએ રિપોર્ટમાં કહ્યું કે એસડીએમસીઓ, તહસીલદાર, ઈન્સ્પેક્ટર, આઉટપોસ્ટ ઈન્ચાર્જ તેમની જવાબદારીમાં બેદરકારી દાખવતા હતા. એસડીએમએ સ્થળનું નિરીક્ષણ કયર્િ વિના જ કાર્યક્રમની પરવાનગી આપી દીધી. વરિષ્ઠ અધિકારીઓને પણ માહિતી આપવામાં આવી ન હતી. તપાસ દરમિયાન 150 અધિકારીઓ, કર્મચારીઓ અને પીડિત પરિવારોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
પોલીસ સહિત સરકારી એજન્સીઓએ અત્યાર સુધી 2 જુલાઈના કાર્યક્રમના ગેરવહીવટ માટે આયોજકોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં ભીડ અંદાજિત 80,000 થી વધીને 2.50 લાખથી વધુ થઈ ગઈ. જો કે, 6 જુલાઈના રોજ, બાબાના વકીલે દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકો દ્વારા છંટકાવવામાં આવેલા કોઈ ઝેરી પદાર્થ’ના કારણે નાસભાગ મચી હતી. નાસભાગના મામલે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાથરસના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલરાઈ ગામમાં 2 જુલાઈના રોજ મધુકર સ્વયંભૂ સંત સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગના મુખ્ય આયોજક અને ફંડ રેઈઝર હતા. 2 જુલાઈના રોજ સ્થાનિક સિકંદરરાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ભોલે બાબાના નામનો આરોપી તરીકે ઉલ્લેખ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech