૧૧મી માર્ચને સોમવારથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લાના ૬૦૪૯૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.વિદ્યાર્થીઓની હોલટીકીટ પણ સાઇટ પર અપલોડ કરી દેવાઈ છે ત્યારે વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઇ શકે તે માટે તા. ૧૦ને રવિવારે તમામ પરીક્ષા કેન્દ્રો બપોરે ૨ થી પ દરમિયાન ખુલ્લા રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના અપાઈ છે.પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષાઓ તા.૧૧ માર્ચને સોમવારથી શરૂ થશે. જેમાં ધો. ૧૦ના ૩૫,૫૩૬,ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૯,૪૭૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૪૯૦ એમ કુલ ૬૦,૪૯૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે.ગત વર્ષે ૬૯,૬૬૫ વિધાર્થીઓ હતા.આ વર્ષે ૯૧૬૯ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા પૂર્વે બેઠક વ્યવસ્થાને લઇ કોઇ પ્રશ્નો ઉઠે નહીં તેવું સુચારૂ આયોજન ગોઠવાયું છે વિદ્યાર્થી પણ વ્યવસ્થાને અનુરૂપ થઇ ખાતરી કરી શકે તે માટે ધો. ૧૦ના ત્રણ ઝોનના કુલ ૧૩૦ બિલ્ડીંગ અને ધો.૧૨ના ૯૭ બિલ્ડીંગ કે જ્યાં પરીક્ષા લેવામાં આવનાર છે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા તા. ૧૦ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન જોઈ શકશે. આ સમય દરમિયાન શાળાઓ ખુલ્લી રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech