કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે ઘર્ષણ, સેનાના 4 જવાન ઘાયલ

  • September 28, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાશ્મીરના કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું છે અને આતંકીઓએ ઘેરો ઘાલ્યો હોવાની બાતમી પછી સુરક્ષા દળો અને આતંકવાદી ઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે જેમાં સેનાના ત્રણ જવાન અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. જો કે આતંકીઓને જેર કરવા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.કાશ્મીરના કુલગામમાં આજે વહેલી સવારથી આતંકીઓ સાથે સેનાના જવાનો વચ્ચે જોરદાર અથડામણ ચાલુ થઇ છે અને સામસામાં ગોળીબારમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.જો કે આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર દ્વારા આજે કુલગામના અરીગામમાં એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન, આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને ગોળીબાર શરૂ થયો.જેનો જવાબ સેનાના જવાનોએ જડબાતોડ આપ્યો છે અને ત્વરીત કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application