હાર્ટ એટેકથી મોતનો સીલસીલો અટકવાનો નામ લેતો ન હોય તેમ રાજકોટમાં વધુ બે વ્યકિતના હૃદય રોગાના હત્પમલાથી મૃત્યુ થયું છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલના નસિગ વિભાગના ઇન્ચાર્જ મેટ્રન અને મ્યુ. કોર્પેારેશનના કર્મચારીના ઘરે ઢળી પડયા બાદ મોત થયા છે. બંનેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં ફરજ પરતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવને પગલે બંનેના પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
પ્રા થતી વિગતો મુજબ, આકાશવાણી ચોક પરિમલ સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ ગોવિંદભાઇ હત્પંબલ (ઉ.વ.૫૭) સવારે ઘરે એકાએક ઢળી પડયા હતાં.જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.મૃતક રાજેશભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્ર છે જે તબિબ છે. રાજેશભાઇ ખુબ જ હસમુખા, સરળ અને મળતાવડા સ્વભાવના હતાં. હાલમાં તેઓ નસિગ વિભાગના હેડ ઇન્ચાર્જ મેટ્રન તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવથી હોસ્પિટલના કર્મચારીઓમાં પણ ગમગીની વ્યાપી ગઇ હતી.
અન્ય એક બનાવમાં મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં હરેશભાઇ વજેસીંહભાઇ બારડ (ઉ.વ.૪૧) સવારે ઘરે બેભાન થઇ જતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્ય હતાં. મૃતક પરિવારનો એકનો એક આધારસ્તભં હતાં. પિતા હયાત નથી, પોતે વૃધ્ધ માતા રસીલાબેન સાથે રહેતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. મ્યુ. કોર્પેારેશનના ટેકસ વિભાગમાં તેઓ પ્યુન તરીકે નોકરી કરતાં હતાં.હૃદય રોગના હત્પમલાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech