વાવાઝોડા સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

  • June 15, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. તેમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ  દ્વારા જણાવાયું છે.
આ અંગે વધુમાં જણાવાયા અનુસાર "બિપરજોય" વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ  સિમ કાર્ડ  મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. ૧૭ જૂનના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
**
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ સેટેલાઈટ ફોન ફાળવાયા
વાવાઝોડા બિપરજોયના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી હેઠળ અને જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા પ્રસાશન દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિઘ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જો આ કુદરતી આપદાના સમયમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જાય તો ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાને વધુ ત્રણ સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરીના સેટેલાઈટ ફોન નં. ૮૯૯૧૧૧૫૦૩૭, ભાણવડ મામલતદારના નં. ૮૯૯૧૧૧૫૦૩૪, દ્વારકા મામલતદારના નં. ૮૯૯૧૧૧૫૦૪૨, કલ્યાણપુરના મામલતદારના નં. ૮૯૯૧૧૧૫૦૩૩ છે. સેટેલાઈટ ફોન આકાશમાં સ્થિત સેટેલાઈટ તરંગો દ્વારા કામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application