અમરેલી જિલ્લામાં જંગલી જાનવરમાં ખાસ કરીને દીપડાના આતંકથી માનવ જિંદગી ઉપર જીવનું જોખમ વધ્યું છે, અવાર નવાર ઘર–ફળિયામાં ઘુસી માનવભક્ષી દીપડાના હત્પમલાથી બાળકો સહીતના લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક મોતને ભેટા હોવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બાળક માનવભક્ષી દીપડાનો શિકાર બનતા મોતના મુખમાં ધકેલાયો છે. ખાંભાના સાળવા ગામે ખેત મજુરી કામ કરતો મૂળ ઉના પંથકનો પરિવાર રાત્રે સૂતો હતો ત્યારે સાત વર્ષના બાળકને દીપડાએ ઉઠાવી ખેતરમાં લઇ જઈ ફાળી ખાતા કણ મોત નીપયું છે.
બનાવની મળતી વિગત મુજબ મૂળ ઉનાના સામેતર ગામના અને ખાંભાના સાળવા ગામે મુકેશભાઇ ડોબરીયાના ખેતરનું ભાગિયું રાખી વાડી વાવતા જીતુભાઇ ભગાભાઇ સોરઠીયા પરિવાર સાથે રાત્રીના વાડીમાં ખુલ્લામાં સુતા હતા ત્યારે દીપડાએ આવી પરિવાર સાથે સુતેલા નવ વર્ષના મયુરને ઉઠાવી નેરામાં લઇ જઈ મોઢે અને હાથે પગે બચકા ભરી ફાળી ખાતા બાળકનું કણ મોત નીપયું હતું. પરિવાર રાત્રે જાગતા પુત્ર બાજુમાં જોવા ન મળતા આસપાસ નેરમાં તપાસ કરતા દીપડાએ ફાડી ખાધેલો મૃતદેહ પડો હતો. બનાવના પગલે વાડી માલીક અને આસપાસના ખેડુતો સહિતના દોડી ગયા હતા. વનવિભાગ અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડીને કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવના પગલે વનવિભાગે દીપડાના સગડ મેળવવા તપાસ હાથ ધરી પાંજં મુકવા તજવીજ હાથ ધરી છે. માસુમ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech