રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા હરીપર તરવડા ગામ પાસે આવેલા તળાવમાં ડૂબી જતાં ૧૦ વર્ષના બાળકનું મોત થયું હતું. મૂળ એમપીના વતની પરિવારનો આ બાળક બે મિત્રો સાથે સાંજે અહીં તળાવમાં નાહવા ગયો હતો. દરમિયાન આ દુર્ઘટના બની હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પહોંચી બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પરિવારને સોંપ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ એમપીના વતની અને હાલ લોધિકા તાલુકાના ચીભડા ગામે રહેતા લાલુભાઇ મખોડીયાનો ૧૦ વર્ષનો પુત્ર હરીપર તરવડા ગામે તળાવમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. બનાવના પગલે લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, હરીપર તરવડા ગામે તળાવમાં 10 વર્ષનો બાળક ડૂબી ગયો છે. જેથી ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી રાત્રિના બે કલાક તળાવના પાણી ડખોળી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ બાળક દિનેશ મખોડીયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેના પરિવારજનોને જાણ કરી હતી.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, બાળકના પિતા અહીં હરીપર તરાવડા ગામ પાસે કારખાનામાં કામ કરે છે અને કારખાનાની ઓરડીમાં જ રહે છે. બાળક બે ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો. ગઈકાલે સાંજે તે તેના બે મિત્રો સાથે અહીં તળાવે નાહવા ગયા બાદ તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મોત થયું હતું. બનાવના પગલે પરપ્રાંતીય પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech