દેશની એકતા અને અખંડિતતા તથા સમર્પિત રહેવાના સામૂહિક શપથ લેવડાવ્યા
અમદાવાદમાં એક ભારત શ્રે ભારત – દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટી યોજાય.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને લેગ ઓફ કરાવી હતી.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખડં ભારતના શિલ્પી અને લોહપુષ એવા પૂય સરદાર વલ્લ ભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
લોહ પુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લ ભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓકટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્ર્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર વલ્લ ભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શઆત કરવામાં આવી છે.સરદાર વલ્લ ભભાઈ પટેલે એક અને અખડં ભારતનું નિર્માણ કયુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના 'એક ભારત, શ્રે ભારતના સ્વપન'ને સાકાર કયુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન અને જિલ્લ ા વહીવટી તત્રં આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેયુ હતું અને રાયના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, દર વર્ષે ૩૧મી આકટોબરના રોજ સરદાર વલ્લ ભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લ ભભાઈ પટેલના સંદેશ ને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાયભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પેારેશન તેમજ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવતું હોય છે.
આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન તેમજ અમદાવાદ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા દ્રારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શ કરવામા આવી હતી. આ દોડ કુલ ૩.૦ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૨૫૦૦થી વધુ લોકો જોડાયા હતા.
આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સર્વ સાંસદ સભ્ય , સર્વ ધારાસભ્ય તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર ઓ ,મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech