દેશના ભિખારીઓના પાસપોર્ટ રદ કરવાના સમાચાર બાદ પાકિસ્તાન ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે અહીં એક ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવ્યા છે. પંજાબના સરગોધા જિલ્લાના ખુશાબ રોડ પર રેસ્ક્યુ ટીમને એક વૃદ્ધ ભિખારી બેભાન અવસ્થામાં મળ્યો. તપાસ કરતાં તેના ખિસ્સામાંથી 5 લાખ પાકિસ્તાની રૂપિયા એટલે કે અંદાજે 1.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. તેની પાસેથી પાકિસ્તાની નાણા ઉપરાંત પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તે અનેકવાર સાઉદી અરેબિયા પણ ગયો હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેનો સામાન તેમને પરત કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, વિસ્તારના લોકોએ બચાવ ટીમને જણાવ્યું કે તે વ્યક્તિ નિયમિતપણે તે જ વિસ્તારમાં ભીખ માંગતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશમાં ભીખ માંગવા માટે ઉમરાહ વિઝાનો લાભ લેતા પાકિસ્તાનીઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં સ્થાયી સમિતિની બેઠકમાં ઓવરસીઝ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે વિદેશમાં અટકાયતમાં લેવાયેલા ભિખારીઓમાં 90% પાકિસ્તાની હતા. "ઈરાકી અને સાઉદી રાજદૂતોએ અહેવાલ આપ્યો છે કે આ ધરપકડને કારણે તેમની જેલો ભરાઈ રહી છે" તેમણે સેનેટ સમિતિને જણાવ્યું કે સાઉદી અરેબિયામાં મસ્જિદ અલ-હરમની અંદરથી પકડાયેલા મોટા ભાગના મૂળ પાકિસ્તાની હતા અને તેમણે ઉમરાહ વિઝાનો ઉપયોગ કરીને ભીખ માંગી હતી.
ગયા મહિને આ મામલે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન સરકારે 2 હજારથી વધુ ભિખારીઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશના ઘણા ભિખારીઓ ઉમરાહના બહાને સાઉદી અરેબિયા, ઈરાક અને ઈરાન જેવા દેશોમાં ભીખ માંગે છે જેનાથી દેશની છબી ખરાબ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech