કાલે રામવાડી દ્વારા ચતુર્વિધ કાર્યક્રમ

  • September 21, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયાર સેહ બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી દ્વારા લક્ષ્મીનારાયણ સન્માન, વય વંદના, વિશેષ સિદ્ધિ બહુમાન તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ચતુર્વિધ કાર્યક્રમ ૨૨ને રવિવારે સાંજે ૪ કલાકથી યોજાશે. 
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, એમ્ફી થિયેટર પાછળ, હિમાલયા મોલ રોડ ખાતે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા કવિ વક્તા કૃષ્ણ દવે ખાસ ઉપસ્થિત રહેશે જ્યારે અમદાવાદથી પ્રા. ડો. ચેતનભાઈ બી. ભટ્ટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સહિતના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજરી આપશે. સમારોહ બાદ પ્રોત્સાહન ઈનામોનું વિતરણ, સ્નેહ ભોજન પણ તે જ સ્થળે યોજાશે. સહું જ્ઞાતિજનોને સમયસર ઉપસ્થિત રહેવા પ્રમુખ કિરીટભાઈ પંડ્યા અને મંત્રી ઈન્દુકુમાર દવે તથા વ્યવસ્થાપક કમિટી દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application