ત્રિપુરા: કુમારઘાટમાં હાઈ ટેન્શનના સંપર્કમાં આવતા 6ના મોત

  • June 28, 2023 11:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં રથ આવી જતાં સ્થળ પર છ લોકોના મત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.


મળતી માહિતી પ્રમાણે ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં રથ આવવાના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે જ્યારે 15 અન્ય ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે.


ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના કુમારઘાટ પર બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં રથ આવી જતાં છ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 15 અન્ય લોકો ઘાયલ થયા છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


શું છે સમગ્ર મામલો?

લોખંડના બનેલા ભગવાન જગન્નાથના રથને હજારો લોકો ખેંચી રહ્યા હતા. તે જ સમયે અચાનક રથ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ભગવાન જગન્નાથની 'ઉલ્ટા રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે 4.30 વાગ્યે આ ઘટના બની હતી. આ તહેવાર દરમિયાન ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાના એક અઠવાડિયા પછી તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application