વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની ગુજરાતની મુલાકાત બાદ મોટી રાજકીય નવાજૂની ના એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગામી રવિવારે અચાનક જ સાંજે સાડા ચાર વાગ્યે રાજ્ય મંત્રીમંડળની બેઠક બોલાવતા પહોંચી ગયો છે અને રાજકીય નિષ્ણાતોના મતે આવી બેઠક બોલાવવા પાછળ કોઈ મોટો નિર્ણય જાહેર કરવા ની સાથે મોટા બદલાવની શક્યતા જોવાઈ રહી છે.
સામાન્ય સંજોગોમાં રાજ્યમંત્રી મંડળની બેઠક દર બુધવારે મળતી હોય છે પરંતુ આ વખતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે સાંજે સાડા ચાર કલાકે રાજ્યમંત્રી મંડળની બેઠક બોલાવતા ખળભળાટ મચી ગયો છે રાજકીય ગલીયારીમાં અનેક તર્ક વિતર્ક શરુ થઈ ચૂક્યા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત બાદ અચાનક જ આ નિર્ણય લેવાતા રાજ્યમંત્રી મંડળના બદલાવ સહિતની બાબતો પર ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
સામાન્ય સંજોગોમાં રાજ્યમંત્રી મંડળની બેઠક દર બુધવારે મળતી હોય છે પરંતુ આ વખતે નિયત સમય કરતા ચાર દિવસ વહેલા આ બેઠક બોલાવવામાં આવતા નવાજૂની ના એંધાણ થાય તેવુ ગુજરાત સરકારના સૂત્રો જણાવી રહ્યા છે. આ માટે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઇ નથી. અને બેઠક જલદી બોલાવવાનું કારણ અકબંધ હોવાથી મંત્રીઓ સચિવ કક્ષાના અધિકારીઓમાં ગુજરાત સરકારમા મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલુ થઇ ચુકી છે.
આ જોતાં આગામી દશેરાના દિવસ પહેલા સરકાર આ અંગે નિર્ણય લઇ રવિવારે જ શપથવિધિ અને ત્વરિત નવા મંત્રીઓમાં પોર્ટફોલિયોનું વિતરણ કરી દે તેવી ચચર્ઓિ ચાલી રહી છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા અને થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાત લઇને ગયા હોવાથી ગુજરાતમાં કોઇ નવો રાજકીય ઘટનાક્રમ આકાર લઇ શકે છે. સરકારના સિનિયર મંત્રીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ છે કે, હજુ સુધી આ બેઠક સરકારે રવિવારે કેમ બોલાવી છે? તે જાણી શકાયું નથી પરંતુ અચાનક જ આવી બેઠક બોલાવવાના તારણમાં મુખ્યત્વે રાજય મંત્રી મંડળના વિસ્તરણ ની ચર્ચા ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech