ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ -જબલપુર એક્સપ્રેસ ગાડીના માર્ગમાં બદલાવ

  • August 22, 2024 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કટની મુરવારા-બીના સેક્શન વચ્ચે ત્રીજી લાઇન માટે ચાલી રહેલા કામને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે  પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, ૨૬ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા  ગાડી નંબર ૧૧૪૬૫ સોમનાથ  જબલપુર એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ શરૂ થનારી મુસાફરી માટે ભોપાલ, ઇટારસી અને જબલપુર સ્ટેશનના રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે. ગાડી  નંબર ૧૧૪૬૬ જબલપુર  સોમનાથ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) ૨૬, ૩૦ ઓગસ્ટ અને ૦૨, ૦૬, ૦૯ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ થનારી મુસાફરી માટે જબલપુર, ઇટારસી અને ભોપાલ સ્ટેશનના રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application