ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું, 18 દિવસ બાદ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર કરશે લેન્ડ

  • August 05, 2023 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસરોએ ચંદ્રયાન-3 વિશે મોટી માહિતી આપી છે. ભારતનું મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે. આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે સૌથી મુશ્કેલ તબક્કો માનવામાં આવતો હતો. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કરાવવાનો પ્રયાસ કરશે. 1 ઓગસ્ટની શરૂઆતમાં અવકાશયાન ટ્રાન્સ લુનર ઇન્જેક્શન (TLI) દ્વારા 288 કિમી બાય 3.7 લાખ કિમીની ભ્રમણકક્ષા હાંસલ કરી અને ચંદ્રના પ્રભાવના ક્ષેત્રમાં પ્રવેશ્યું છે.


ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે, 'ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. પેરીલ્યુન પર રેટ્રો-બર્નિંગનો કમાંડ મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX), iSTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક), બેંગલુરુમાંથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. પેરીલ્યુન એ ચંદ્રની અવકાશયાનનું સૌથી નજીકનું બિંદુ છે.


ઈસરોએ કહ્યું કે, બેંગ્લોર મિશન ઓપરેશન કોમ્પ્લેક્સથી અવકાશયાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application