કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ–ભાવનગર હાઇવે ઉપર ૬૭ ગામોને જોડતા બે જંકશનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની અણઆવડત ના કારણે લાયઓવર બનાવવામાં ના આવતા આ બન્ને જંકશનો (ચાર ચોકડી) ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકોનું જાનમાલનું નુકશાન થઈ રહ્યું છે. આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ગામનાં અગ્રણીઓ દ્રારા નેશનલ હાઇવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે તત્રં દ્રારા કોઈ નકકર કામગીરી ન કરતા આ ચોકડીઓ ઉપર અકસ્માતોનો સીલસીલો અવિરત ચાલું રહેતા અને આ સમયે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવતા હવે કોઈ અન્ય નિર્દેાષ વ્યકિત જીવનો ગુમાવે તે માટે પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ દોઢ લાખના ખર્ચે સિમેન્ટ બેરીકેટ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પર ના રસ્તા ઉપર સ્પીડબ્રેકર બનાવડાવ્યા જેથી કરીને હાઇવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય અને અકસ્માતને નિવારી શકાય અને માનવ જિંદગી ને બચાવી શકાય. નેશનલ હાઇવે ઓથોરિટીને લાઈ ઓવર બ્રિજ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઇવેના બહેરા અધિકારીઓને કાને અથડાઈને પાછી ફરી હોય તેમ આ બંને જગ્યાએ ઓવરબ્રિજ નહીં બનાવીને હાઈવે ઓથોરિટી દ્રારા કોડીનાર તાલુકાના અંદાજે ૩૦થી ૪૦ ગામના લોકોને રામ ભરોસે મૂકી દીધા છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે આ ચોકડી પાસે કોઈ દિશા સૂચક બોર્ડ પણ નથી. રોડ બનતો હતો ત્યારે આ વિસ્તારની પ્રજા દ્રારા અવારનવાર માંગણી કરીને આ બંને ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી આંદોલન પણ કર્યા હતા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીનાં નીંભર તંત્રએ બાબતે નોંધ સુદ્ધા લીધી નહીં. પરિણામે દરરોજ અકસ્માતોની હારમાળા થઈ રહી છે. ત્યારે આ બંન્ને ચોકડીઓ વડનગર અને રોણાજ ચોકડી પર રોજિંદા નાના અકસ્માતો થતાં રહ્યાં છે કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માંગણી ઉઠાવી રહ્યા છે ત્યારે હાલ પૂરતા અકસ્માતોને અટકાવવા પાલિકાના પૂર્વ પ્રમુખે સ્વખર્ચે બેરિકેટ મૂકવાની કરેલી આ પહેલ ને તલુકાભરનાં લોકો બિરદાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech