શહેરમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, એસપી પ્રેમસુખ ડેલું, તળાવની પાળે મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી તેમજ ખંભાળીયામાં મંત્રી મુળુભાઇ બેરા કાર્યક્રમમાં હાજર રહ્યા
વિશ્ર્વ યોગ દિવસ નિમિતે જામનગરમાં બે સ્થળોએ અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, તળાવની પાળે મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ખંભાળીયામાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં, સાંજે પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, ધન્વંતરીના મેદાનમાં યોગ કરાવવામાં આવ્યા હતાં.
ક્રિકેટ મેદાન ખાતે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ
જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ’વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ, વર્ષ ૨૦૧૫ માં તા. ૨૧ જૂનથી ’સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે, ઉપરાંત આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી પગલું છે.
જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ અને પ્રાર્થનાની સાથે ઉપસ્થિત લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. આ વર્ષે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળોની યાદીમાં જામનગરની મહિલા કોલેજ અને ધ્રોલની જી. એમ. પટેલ સ્કૂલ- આ ૨ સ્થળોનો વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ક્ષણે, કાર્યક્રમના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કૂટુંબકમની ભાવનાનો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વસ્તરે સ્વીકાર કરવામાં આવ્યો છે. યોગ એ આપણા જીવવનો અભિન્ન હિસ્સો છે. ભારતની સંસ્કૃતિ અને યોગનો આજે વિશ્વભરમાં ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ તકે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ’યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. ૧૮૦ દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં ૭૨,૦૦૦ સ્થળોએથી સવા કરોડ જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવશે. સુરતમાં ૧,૨૦,૦૦૦ કરતા વધુ લોકોએ આજે યોગ કર્યા હતા. આ સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં કરવામાં આવશે.
કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, શહેર મામલતદાર વી. આર. માકડિયા, મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, જિલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડી, અગ્રણીઓ રમેશ મુંગરા, દિલીપ ભોજાણી, પ્રવિણસિંહજી, એન. સી. સી. કેડેટ્સ, બી. એસ. એફ. ના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન. જી. ઓ. મેમ્બર્સ, વિવિધ સંસ્થાના યોગ પ્રશિક્ષકઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
**
રણમલ તળાવમાં મહાનુભાવોએ કર્યા યોગ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ લાખોટા તળાવ ગેટ નંબર ૧ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં સુરત ખાતે કરવામાં આવી હોય આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમનું પ્રેરક ઉદબોધન સાંભળી જામનગરમાં યોગનીદર્શન-પ્રાણાયામ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, આ તકે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, મહામંત્રી મેરામણભાઇ ભાટું, કોર્પોરેટરો, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ બહોળા પ્રમાણમાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech