આર્યસમાજમાં રક્ષાબંધનની થઇ પાવન વાતાવરણમાં ઉજવણી

  • August 22, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં આર્યસમાજ ખાતે રક્ષાબંધનના પર્વની પાવન ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરના આર્યસમાજ મંદિર ખાતે રક્ષાબંધનના પર્વ નિમિતે વૈદિક યજ્ઞ અને જનોઈ ધારણનો વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ અને જનોઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,આ  કાર્યક્રમમાં આર્યસમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિતિ રહી યજ્ઞમાં આહુતિ આપી જનોઈ ધારણ કરી હતી,તેમજ આર્યસમાજના હોદેદારો અને કાર્યકરોએ સુંદર આયોજન કરેલ હતુ, આર્યસમાજ મંદિરના પ્રમુખ ધનજીભાઈ આર્યએ, યજ્ઞ જનોઈ કાર્યક્રમ બાદ ખુબ સરસ રીતે પ્રવચન આપેલ હતું, દિવ્ય અને ભવ્ય યજ્ઞ અને જનોઈ ધારણ  કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.આર્યસમાજ મંદિર કે જ્યાં આવા દિવ્ય તહેવારની ઉજવણી થાય છે અને આર્ય સમાજ મંદિરના  કાર્યક્રમમાં ગ્રુપના સેવાભાવિ સભ્યો રવિભાઈ સિંધવ, વિજયભાઈ ભાવનાણી, રાજુભાઇ દવે, રમેશભાઈ દવે, યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં સહભાગી થયા હતા, સૌ સેવા ભાવી સભ્યોનો  આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application