જામનગરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા: ૧૫૦ કરતાં વધુ બાળકો, વાલીઓએ ઉપયોગી આસનો- પ્રાણાયામની તાલીમ લીધી
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલ ફ્રેન્ડસ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ બાળકોની ક્ષમતાઓ અને જરુરીયાતોને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલાં આસનો શહેરના યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ શીખવવામાં આવ્યાં હતાં. માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી ધ્યાન અને પ્રાણાયામની પણ તાલીમ આપવામાં આવી હતી.
આ ઉજવણીમાં વાલીઓને પણ સાંકળી લઈને યોગની પ્રવૃત્તિ બાળકોના રોજિંદા જીવનનો ભાગ બને અને તેનો શારીરિક- માનસિક અપૂર્તતાઓની અસર ઓછી કરવામાં થાય તેવો પ્રયાસ કરાયો હતો.બાળકો ખૂબ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને વાલીઓએ પોતાના પ્રતિભાવોમાં યોગને પોતાના અને સંતાનોનાં જીવનની કાયમી પ્રવૃત્તિ તરીકે સામેલ કરવાની ખાતરી આપી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સી.એસ..આર. વિભાગ દ્વારા આયોજિત આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયેલ સર્વેને અલ્પાહાર અને સ્મૃતિભેટ આપવામાં આવ્યાં હતી. સમાજની સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહિત કરતા અને વિશિષ્ટ બાળકોનાં શારિરીક - માનસિક સ્વાસ્થ્યમાં ઉપયોગી આ કાર્યક્રમને લાભાર્થીઓએ ઉત્સાહભેર આવકારી અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મનોદિવ્યાંગ કન્યાઓને મેડીકલ ટીમની મદદથી મેન્સ્ટ્રુઅલ હાઈજીનની તાલિમ,વિશિષ્ટ બાળકો માટે વિવિધ રમત ગમત,વિશિષ્ટ બાળકોની તાલીમ માટે જરૂરી સાધનો માટે અનુદાન વગેરે પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે જેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech