તા.૨૧-૦૭-૨૦૨૪ના રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ભાવથી ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૯ પરિવ્રાજક કિશોરભાઈ ઉપાધ્યાયે હરસુખલાલ સણથરા અને હરસુખલાલ વ્યાસ – જયશ્રીબેન વ્યાસ દ્વારા ગુરુપૂજન કરાવ્યું. સવારે ૯ થી ૧૧ નવ કુંડી ગાયત્રી મહાયલનું સંચાલન પ્રિતિબેન સોલંકી, નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪ વ્યક્તિઓએ મંત્રદીક્ષા લીધી. સાંજે ૪ થી ૫ સમૂહમાં ગાયત્રી મંત્રના જાપનું આયોજન ગાયત્રી ભવનમાં કરવામાં આવ્યું હતું આજ સમય દરમ્યાન ત્રિપદા ભવનમાં ૩૦ બહેનોના ગર્ભસંસ્કાર દર્શનાબેન પંડયાએ કરાવ્યા હતા. સાંજે ૫:૧૫ થી ૬:૩૦ દરમ્યાન પોતે ગાયત્રી પરિવારમાં કઈ રીતે જોડાયા તેની વાતો ગાયત્રી પરિજનોએ કરી હતી. સાંજે ૬:૩૦ થી ૭ દરમ્યાન યોજાયેલ દીપયશનું સંચાલન સી. પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું. ૨૧૦૦ ફળાઉ રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું. જેની વ્યવસ્થા સુનિતાબેન આહિર દ્વારા કરવામાં આવી હતી. આ પાવન દિવસે જામનગર જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા રૂા.૩૬૫૦૦૮/- નું અનુદાન શાંતિકુંજ મોકલાવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech