સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની ૨૦૧ જેટલાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આજે ઓગસ્ટ-૨૦૨૪ના માસના ત્રીજા મંગળવારે ’અન્નપ્રાશન દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી અંતર્ગત જે બાળકોને ૬ માસ પૂર્ણ થયા હોય અને પૂરક પોષણની જરૂરિયાત હોય તેવા બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોમાં ’બાલશક્તિ’ ના પેકેટ પૂરક આહાર તરીકે આપવામાં આવે છે.
’અન્નપ્રાશન દિવસ’ની ઉજવણી નિમિત્તે આંગણવાડી કાર્યકર બહેનોએ લાભાર્થી બાળકોની માતાઓને બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અને તેની જરૂરીયાત, તેનું મહત્વ, ઉપરી આહારની બનાવટમાં વિવિધતા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ અવસરે લાભાર્થી બાળકોને મનોરંજનની રમત- ગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સી.ડી.ઓ.પી.ઓ. અલ્પાબેન મકવાણાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ઉજવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech