કેન્દ્રીય વિદ્યાલય ખાતે ૧૫મી ઓગસ્ટની થઇ દેશભક્તિસભર કાર્યક્રમો દ્વારા ઉજવણી

  • August 21, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ શાળાના આચાર્ય રાકેશ ટી. કાંતિવાલની અધ્યક્ષતામાં દેશના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના સિનિયર મોસ્ટ ડોકટર ડો.સુરેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને આશીર્વાદમાં જણાવ્યું હતું કે સૌથી પહેલી પોતાની તંદુરસ્તી જ‚રી છે આના માટે વ્યસન મુક્ત રહેવું અને ક્યારે પણ આવેશ માં આવીને ખોટું કામ નહીં કરવાનું. યોગા કસરત દ્વારા પોતાની જાતને તંદુરસ્ત બનાવવાની વાત કરી આચાર્ય રાકેશ કાંતિવાલે વીર સૈનિકોને યાદ કરી અને બલિદાન નું મહત્વ સમજાવ્યું સવારે ૮.૧૫ કલાકે મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજવંદન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય વિદ્યાલયના શિવાજી, ટાગોર, અશોક અને રમણ ચાર ગૃહોના વિદ્યાર્થીઓ દ્વારા પરેડનું સંચાલન કરવામાં આવ્યું હતું અને ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application