જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની ઉજવણી

  • June 07, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તંત્ર દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓ સહિતના સ્થળોએ સફાઇ અભિયાન


જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે શહેરમાં આવેલી જુદી-જુદી મહાનુભાવોની પ્રતિમા સાહિતના સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરની એન.જી.ઓ. સંસ્થા-વેપારીઓ વગેરે જોડાયા હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા પનિર્મળ ગુજરાત 2.0થ અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરના બાગ બગીચા, ધાર્મિક સ્થળો ઐતિહાસિક ઇમારત સહિતનાં જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યમાં જામનગર મહાનગર પાલિકા ના તંત્રની ટીમ ઉપરાંત વિવિધ એન.જી.ઓ., વેપારી સંગઠનો તથા સ્થાનિકોએ પણ શ્રમદાન કર્યુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application