સગર્ભા સ્ત્રીઓને ટાર્ગેટ કરતી ટોળકી દ્વારા આચરવામાં આવતા "આંગણવાડી ફ્રોડ” અટકાવવા અવેરનેશ કાર્યક્રમ યોજાયો : જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકા જિલ્લામા સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતી સહાયની યોજનાના નામે સગર્ભા સ્ત્રીઓને ટાર્ગેટ કરી, ફોન કોલ કરીને તેઓને પ્રલોભન આપી, નાણાકીય ફોડના બનાવો બનતા હોવાનું પોલિસને ધ્યાને આવતા, આ બાબતને ગંભીરતાથી લઇને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સાયબર ક્રાઇમ સેલની ટીમને આ પ્રકારના બનાવો શોધી કાઢવા ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. આવા પ્રકારના બનાવો રોકવા તેમજ જનજાગૃતિ માટે "આંગણવાડી ફોડ અવેરનેશ પ્રોગ્રામ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
આના અનુસંધાને એ.એસ.પી. રાધવ જૈનના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા “આંગણવાડી ફ્રોડ”ને અટકાવવા માટે જાહેર જનતા જોગ જિલ્લા કક્ષાએ અવરનેશ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી ફ્રોડના સાયબર ક્રાઇમના બનાવોમાં સગર્ભા સ્ત્રીઓ ભોગ બનનાર હોવાથી, મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરના સુપરવિઝન હેઠળ જિલ્લાની તમામ સી-ટીમ દ્વારા આ અવેરનેસની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લાના અલગઅલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ તથા 25 થી વધુ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરોને સાથે રાખીને સગર્ભા સ્ત્રીઓનો ડેટા મેળવીને સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતા લાભોની માહીતી પુરી પાડી, તેઓને આ પ્રકારના ફ્રોડમાં લેભાગુ તત્વો દ્વારા જે-તે વ્યક્તિઓને ફોન કોલ કરી, કઇ રીતે વિશ્વાસમાં લેવામા આવે છે. તેમજ વિશ્વાસમાં લઇને ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ઓ.ટી.પી. મેળવીને જે-તે વ્યક્તિઓની બેંક બેલેન્સ સાફ કરી નાખવામાં આવે છે. આ બાબતની માહીતી પુરી પાડી અવેરનેશની મહતમ કામગીરી કરવામા આવી હતી.
જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર જનતા જોગ અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની જનતા જોગ અપીલ છે કે, આપને કોઇ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફોન કોલ કરી જાણ કરવામા આવે કે, તેઓના પરિવારમાંથી જો કોઇ સગર્ભા મહીલા હોય કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઇ બાળકનો જન્મ થયો હોય, તો તેઓને સરકારની યોજના મુજબ બાળક દીઠ રૂપિયા છ થી સાત હજારની સહાય મળવા પાત્ર છે. તે રકમ મેળવવા તેઓને માગ્યા મુજબની માહીતિ આપીને મોબાઇલ પર આવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરવાથી આ સરકારના લાભની રકમ તેઓના ખાતામાં જમાં થઇ જશે. તેવી લાલચમાં આવવુ નહિ. જો કોઈ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ક્યુ.આર. કોડ આવ્યો હોય તો તેને સ્કેન કરવા નહી, કે કોઇ અજાણ્યા વ્યક્તીને ઓટીપી આપવા નહીં.
જો કોઇ લાભ મેળવવાના લાલચમા આવી કોઇ તમારી માહિતી આપશો, તો આવા તક સાધુ, ઠગ લોકોથી આપ સાયબર ક્રાઇમનો ભોગ બનશો અને મોટી નાંણાકીય નુકસાની થઇ શકે છે. ક્યારેય પણ આ પ્રકારે કોઇપણ સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર હેલ્પ લાઇન નં. 1930 પર કોલ કરી પોતાની ફરીયાદ નોંધાવવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech