દેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • June 09, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર તાલુકાના દેવગાણા ગામના  શહીદ વીર મેહુલભાઈ સોલંકીને રાષ્ટ્રીય સન્માન સાથે સલામી આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઈછઙઋ) ના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ વીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદ સિંહએ શહીદ મેહુલભાઈના માતૃશ્રી, બહેનો અને ભાઈ સહિતના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.પરિવારના એક સભ્યને નોકરી આપવા સહિતની બાબતો પર ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે ડી.જી.પી. શહીદના બલિદાનને બિરદાવતા પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મારું સહિત સમાજના આગેવાનો, દેવગાણા સમસ્ત ગ્રામજનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલીતાણા ઉઢજઙ મિહિર બારીયા, ભાવનગર પુરવઠા નાયબ કલેક્ટર પ્રજાપતિ, સિહોર મામલતદાર પ્રજાપતિ અને સિહોર પોલીસ અધિકારી બી ડી જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.  શહીદને સલામી આપવા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સંદર્ભે દેવગણા ગામે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application