આજે સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ ) સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓમાં, નાગરિકતા (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ નિર્ણય ન કરે ત્યાં સુધી આ કાયદાને લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) તરફથી હાજર રહેલા વરિ વકીલ કપિલ સિબ્બલની દલીલોની નોંધ લીધી હતી કે એક વખત સ્થળાંતરિત હિંદુઓને જો ભારતીય નાગરિકતા આપવામાં આવી હોય તો તે પાછી લઈ શકાય નહીં, તેથી આ મામલે વહેલી તકે સુનાવણી થાય તે જરૂરી છે.
કેન્દ્ર સરકારે સીએએ લાગુ કર્યાના એક દિવસ પછી, કેરળમાં સક્રિય રાજકીય પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ તેના અમલીકરણ પર સ્ટેની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યેા હતો. પ્રા માહિતી અનુસાર, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ માંગ કરી છે કે વિવાદાસ્પદ કાયદા અને નિયમો પર પ્રતિબધં લગાવવો જોઈએ અને મુસ્લિમ સમુદાયના એવા લોકો વિદ્ધ કોઈ કડક પગલાં લેવામાં ન આવે જેઓ આ કાયદાના લાભોથી વંચિત છે.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ઉપરાંત, અન્ય પક્ષો અને વ્યકિતઓ જેમ કે ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, આસામ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સાયકા, આસામના સાંસદ અબ્દુલ ખાલિક અને અન્યોએ પણ આ જ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ તમામ અરજીઓ પર સુનાવણી થશે.સીએએ વિદ્ધ ૨૩૭ અરજીઓ પેન્ડિંગ છે, જેમાં નિયમોના અમલીકરણ પર સ્ટે માંગતી ચાર વચગાળાની અરજીઓનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, ૧૫ માર્ચે, કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં અરજીકર્તાઓની સ્થિતિ પર શંકા વ્યકત કરી હતી અને કહ્યું હતું કે, કોઈપણ અરજદારને નાગરિકતા આપવા પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે અમે મંગળવારે આ મામલે સુનાવણી કરીશું. આમાં ૧૯૦ થી વધુ અરજીઓને હોલ્ડ પર રાખવામાં આવી છે, તે તમામની સુનાવણી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech