ગયા વર્ષે જયારે જૂનાગઢમાં જે જર્જરીત બિલ્ડીંગ અચાનક ધરાશઇ થઇ અને માનવ જીંદગી હોમાય ગઇ તેની વરસી થોડા દિવસ પહેલા ગઇ અને યાદ તાજી થઇ કે આવું બાંટવામાં ન બને એટલા માટે તે બિલ્ડીંગની નીચે રહેતા પોતાની માલીકની દુકાનો ધરાવતા વેપારીઓએ તંત્રને લેખીત રજૂઆત કરી. ચીફ ઓફિસરને અનેક વખત રજૂઆત કરી છતાં આ જર્જરીત બિલ્ડીંગ ઉભી છે. નાનડીયા રોડ પર કટલેરી બજાર આવેલી છે અને તેમાં જે જર્જરીત બિલ્ડીંગ ૪ (ચાર) માળની છે અને તેની નીચે ૧૨ દુકાનદારો પોતાની માલીકીની દુકાનો ધરાવે છે તેઓ કાયમી જીવ તાળવે ચોંટાડી ધંધો કરી રહ્યા છે.આ બાબતે ચીફ ઓફિસર પી.બી.પરમારને પુછતા તેઓએ જણાવ્યું છે કે અમોએ ૨૧ આસામીઓને તેમની જર્જરીત જોખમી બીલ્ડીંગો ધરાવતા તેમને નોટીસ આપેલી અને ૨૧માંથી ૯ બીલ્ડીંગ હટાવી લેવામાં આવી છે. અમે માલીકને નોટીસો આપી છે. પરંતુ અમારી પાસે મર્યાદિત સત્તાઓ છે ત્યાં લોકો રહે છે તેથી ઘર વિહોણા ન થાય તે પણ જોવું પડે છે.
જાણવા મળ્યું છે કે બીલ્ડીંગ માલીકોએ એવો જવાબ આપ્યા છે કે અહીં બે મકાનમાં ભાડુતો રહે છેે તે ખાલી કરતા નથી જો ખાલી કરે તો અમે કાર્યવાહી કરીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech