બ્રિટિશ સાંસદોએ ગંભીર રીતે બીમાર વયસ્કોને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તેમના જીવનનો અતં લાવવામાં મદદ કરવાના પ્રસ્તાવ પર ઐતિહાસિક ચર્ચા શ કરી હતી. આ બિલને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. સંસદના સભ્યોએ ઈચ્છા મૃત્યુ બિલને ૩૩૦ થી ૨૭૫ મતોથી મંજૂર કયુ હતું. આ મત સૂચવે છે કે સાંસદોએ બિલને પ્રાયમરી મંજૂરી આપી દીધી છે અને તેને વધુ ચકાસણી માટે સંસદમાં મોકલી દીધું છે. ૨૦૧૫માં સમાન કાયદો પ્રથમ પરીક્ષણ પાસ કરવામાં નિષ્ફળ ગયો હતો. તેમાં નૈતિકતા, વેદના, કાયદો, વિશ્વાસ, ગુના અને પૈસાના મુદ્દાઓ સામેલ હતા. આ મુદ્દાને લઈને બંને પક્ષના સેંકડો લોકો સંસદની બહાર એકઠા થયા હતા. સમર્થકોએ કહ્યું કે કાયદો મૃત્યુને આદર આપશે અને બિનજરી વેદનાઓને અટકાવશે, યારે જીવનના અતં નજીકના લોકોને આત્મહત્યા કરવા માટે મજબૂર થવાથી રોકવા માટે પર્યા સલામતી છે તેની ખાતરી કરશે. વિરોધીઓએ કહ્યું કે તે સંવેદનશીલ લોકોને જોખમમાં મૂકશે, સંભવિતપણે તેમને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તેમના જીવનનો અતં લાવવા દબાણ કરશે જેથી તેઓ બોજ ન બને. અન્ય દેશો કે જેમણે ઈચ્છા મૃત્યુને કાયદેસરતા આપી છે તેમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટસના ભાગોનો સમાવેશ થાય છે, યાં કોણ પાત્ર છે તેના નિયમો અધિકારક્ષેત્ર દ્રારા બદલાય છે. સ્વિટઝર્લેન્ડમાં ૫૦૦ થી વધુ બ્રિટિશ લોકોએ તેમના ઈચ્છા મૃત્યુ દ્રારા જીવનનો અતં લાવ્યો છે, યાં કાયદો બિન–નિવાસીઓને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech