હિન્દુ લગ્ન માટે કન્યાદાન જરૂરી નથી: કોર્ટ

  • April 06, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ મેરેજ એકટ મુજબ હિન્દુ લગ્ન માટે કન્યાદાનની વિધિ જરૂરી નથી. જસ્ટિસ સુભાષ વિધાર્થીની બેન્ચે જણાવ્યું હતું કે, હિન્દુ લગ્ન અધિનિયમ માત્ર સપદીને હિન્દુ લની આવશ્યક સમારભં તરીકે જોગવાઈ કરે છે અને તે જોગવાઈ નથી કે હિન્દુ લ માટે કન્યાદાનની વિધિ જરૂરી છે.

ટ્રાયલ કોર્ટે રિવિઝનિસ્ટની દલીલ રેકોર્ડ કરી હતી કે ફરિયાદ પક્ષ દ્રારા દાખલ કરાયેલ લગ્ન પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લ ફેબ્રુઆરી ૨૦૧૫ માં હિન્દુ રીત–રિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા, જે મુજબ, કન્યાદાન એક આવશ્યક વિધિ છે. કોર્ટે નોંધ્યું હતું કે રિવિઝનિસ્ટે કન્યાદાન સમારોહ યોજાયો હતો કે નહીં તે સ્થાપિત કરવા માટે આ સાક્ષીઓની પુન: તપાસ કરવાની માંગ કરી હતી. આ કેસના સંબંધમાં, કોર્ટે હિન્દુ લગ્ન  અધિનિયમની કલમ ૭ નો ઉલ્લેખ કર્યેા, જે હિન્દુ લગ્ન માટે જરૂરી વિધિઓની પરેખા આપે છે.

ખાસ કરીને, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ લગ્ન અધિનિયમની ઉકત જોગવાઈ મુજબ હિન્દુ લના માન્ય સમારોહ માટે કન્યાદાન સમારોહ આવશ્યક માનવામાં આવતો નથી. પરિણામે, કોર્ટે તારણ કાઢું હતું કે કેસના યોગ્ય નિર્ણય માટે કન્યાદાન વિધિના ફરિયાદ પક્ષના સાક્ષીઓની પુન: તપાસ જરુરી નથી અને તેથી, સાક્ષીઓને સીઆરપીસીની કલમ ૩૧૧ હેઠળ સાબિત કરવા માટે બોલાવવામાં આવ્યા નથી. સાક્ષીઓને પાછા બોલાવીને જે હકીકત સાબિત કરવાની માંગ કરવામાં આવી રહી છે તે કેસના યોગ્ય ચુકાદા માટે યોગ્ય નથી તેવું અવલોકન કરીને, કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application