જિલ્લા પંચાયત દ્વારા ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી

  • August 12, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તા. ૧-૮-૨૦૨૪ થી લઇ આગામી તા. ૭-૮-૨૦૨૪ સુધી ઉજવણી થનાર છે. ભાવનગર જિલ્લા પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલની થીમ ઉપર વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવા જઇ રહ્યું છે.

જિલ્લા પંચાયત હેઠળની ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં તા. ૧-૮-૨૦૨૪ થી તા. ૭-૮-૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવામાં આવશે.   સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ. માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપુર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા, ઝાડા જેવી બિમારીઓથી બચાવે છે. તેમજ બાળકને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરુપ બને છે. આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરુપે નવજાત શિશુની ઘરે મુલાકાત દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન વિશેનું મહત્વ, કેટલા સમય સુધી  રીતે  સ્તનપાન કરાવવું તે વિશે જાગૃત કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application