જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારની પત્નીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 04, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુરબાગ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટ ના કારખાનેદાર વેપારીની પત્નીએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી દીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર માધવબાગ શેરી નંબર ૪ માં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાટનું કારખાનું ધરાવતા પ્રતિકભાઈ યોગેશભાઈ મુંગરા નામના પટેલ કારખાનેદારની પત્ની ડેન્શીબેન પ્રતિકભાઈ મુંગરા નામની ૨૧ વર્ષ ની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. ટી.ડી. બુડાસણાં બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ડેન્શીબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણીના આત્મહત્યાના પગલાં અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application