બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 દેવ માટે લોકોએ હજુ થોડા વર્ષો રાહ જોવી પડશે

  • March 03, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નિર્દેશક અયાન મુખરજીએ ફિલ્મ અને તેના કલાકારો અંગે કર્યો ખુલાસો
  • અયાને કહ્યું- સમય લાગશે પણ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા જેટલો ટાઇમ નહીં લાગે


 નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા' 2022ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન જેવા મોટા સ્ટાર્સે ભૂમિકા ભજવી. ગયા વર્ષે જ્યાં એક તરફ બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઈ રહી હતી, તો બીજી તરફ આ ફિલ્મ સૌથી મોટી હિન્દી ફિલ્મ બનીને ઉભરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 431 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
હવે તેના બીજા પાર્ટની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. જેના માટે મેકર્સે પહેલાંથી જ જાહેરાત કરી દીધી હતી. પરંતુ ફિલ્મ ક્યારે આવશે અને તેમાં કોણ હશે તે અંગે હજુ પણ સિનેરસિકોમાં જિજ્ઞાસા છે.

એટલુ ચોક્ક્સ છે કે  ભાગ એકમાં શિવાના રોલમાં રણબીર કપૂરની કહાણી બતાવવામાં આવી છે. ત્યારે હવે બીજા પાર્ટમાં દેવની કહાણી બતાવામાં આવશે.

દર્શકોમાં આ ફિલ્મને લઈને બે સવાલો થઈ રહ્યા છે, પ્રથમ એ કે આ ફિલ્મ ક્યારે આવશે અને બીજો સવાલ એ છે કે, દેવની ભૂમિકા કોણ નિભાવશે. કયા અભિનેતાને આ ફિલ્મનો રોલ આપવામાં આવશે. હવે અયાને મુખરજીએ એક ન્યૂઝ ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં આ સવાલોના સંકેતમાં જવાબ આપ્યા છે. તેણે એ પણ કહ્યું કેબ્રહ્માસ્ત્રઃ પાર્ટ 2 - દેવ થોડા વર્ષોમાં મોટા પરદા પર રિલીઝ કરવમાં આવશે.

અયાને કહ્યુ કે...

અમે અત્યારે તેના પણ કામ કરી રહ્યા છીએ અને તેમાં થોડા વર્ષોનો સમય લાગી શકે છે. તે દસ વર્ષ કરતાં 100% સારું છે. જો હજુ દસ વર્ષ લાગી જશે તો 'બ્રહ્માસ્ત્ર 2' જોવા કોઈ નહીં આવે. અમે તેને તેના પહેલા તૈયાર કરવા જઈ રહ્યા છીએ.

આ ફિલ્મને લઈને ભારે ચર્ચાઓ પણ થઈ રહી છે. ઋિતિક રોશનથી લઈને રણવીર સિંહ અને યશ સુધીના ઘણા અભિનેતાઓના નામોની ચર્ચા દેવની ભૂમિકા ભજવે તેવી થઈ રહી છે. જોકે નિર્માતાઓ તરફથી આ માટે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અયાને પણ કહ્યું, 'આ પ્રશ્નનો હજુ સુધી કોઈ જવાબ નથી. આપણે રાહ જોવી પડશે.

અયાનને શોષા રીલ એવોર્ડ્સમાં બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન - શિવા માટે સર્વશ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. પોતાના પ્રેમ અને જુસ્સાના પ્રોજેક્ટ માટે પોતાનો પહેલો એવોર્ડ જીતવા માટે ઉત્સાહિત થઇ તેણે કહ્યુમ હતું કે..

 મારા માટે આ ખાસ છે, કારણ કે સાચું કહું તો, આ એવી ફિલ્મ નહોતી જેના માટે અમને એવોર્ડ મળ્યા હતા, પરંતુ હવે અમને લોકપ્રિય મત મળી રહ્યા છે. , જે મને ખરેખર ગમે છે. પુરસ્કારો હંમેશા તમને સારું લાગે છે. તમારા કામની પ્રશંસા થાય તે સારું છે.

હું 10 વર્ષથી ફિલ્મ બનાવી રહ્યો છું અને મેં તેને લખવામાં થોડા વર્ષો વિતાવ્યા છે. દરેક ફિલ્મ નિર્માતા તેમની ફિલ્મો દ્વારા તેમના જીવનને માપે છે. યે જવાની હૈ દીવાની 2013માં આવી જ્યારે હું 29 વર્ષનો હતો અને જ્યારે બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ ત્યારે હું 39 વર્ષનો હતો. તેથી, તે એક લાંબી મુસાફરી રહી છે.

 એવોર્ડ્સમાં અનિલ કપૂર પાસેથી તેનો પુરસ્કાર પ્રાપ્ત કરતા અયાને પ્રેક્ષકોને ખાત્રી આપી કે તે બીજા ભાગમાં વધુ સારા પ્રદર્શન માટે તૈયાર છે. તેણે કહ્યું કે ફિલ્મમાં અમારી સાથે જોડાયેલા તે તમામ લોકોને ખાસ આભાર માનું છું. અમને ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ ફિલ્મ આવવાથી અમને ઘણું શીખવા મળ્યું અને મને આશા છે કે અમે તે બધું શીખી શકીશું અને બ્રહ્માસ્ત્ર 2 માં કંઈક મોટું અને સારું બનાવી શકીશું.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application