વડાપ્રધાનના સ્વાગત માટેના બુકે–શાલ પડા રહ્યા: માત્ર બે હાથ જોડી નમસ્તેથી અભિવાદન

  • February 26, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શાલ અને બુકે ની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી અને આગેવાનો હાર અને શાલ લઈને પહોંચી ગયા હતા. ૯૪ વ્યકિત દ્રારા વડાપ્રધાન નું અભિવાદન કરવા માટે પોલીસ તત્રં તરફથી લિસ્ટ જાહેર કરાયું હતું. કોઈ મહાનુભાવ ભૂલથી શાલ કે બુકે લેવાનું ભૂલી જાય તો તેને આપવા માટે તત્રં તરફથી પણ વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ શાલ કે બુકે આપી નહીં શકે અને માત્ર બે હાથ જોડી નમસ્તે કરી અભિવાદન કરવાનું રહેશે તેવી સૂચના છેલ્લી ઘડીએ જાહેર કરતા શાલ અને બુકે આપવાના અનેકના ઓરતા અધૂરા રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગાઉ જાહેર થયેલા શેડુલમાં રાજકોટમાં રાત્રિ રોકાણની કોઈ વાત ન હતી. પરંતુ શનિવારે બપોરથી તે વાત શ થઈ હતી અને સાંજ સુધીમાં તેનું સુરસુરિયું પણ થઈ ગયું હતું. વડાપ્રધાન શા માટે રાજકોટમાં રાત્રી રોકાણ કરવાના હતા અને શા માટે રાત્રી રોકાણનો નિર્ણય છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો? તે બાબતે આજે અધિકારીઓ એકબીજાને પૂછી રહ્યા હતા. કોઈ પાસે નક્કર જવાબ ન હતો અને અનુમાનના આધારે વાતચીત થતી હતી.વડાપ્રધાન જાહેર સભામાં પ્રથમ વખત પબ્લિક ગેટમાંથી એન્ટર થયા હતા અને ખુલી જીપમાં શ્રોતાઓનું અભિવાદન જીલ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application