રાષ્ટ્રપતિના સંબોધન પર સંસદના બંને ગૃહોમાં આજથી ચર્ચા શરૂ થઈ રહી છે. નીટ પેપર લીક મુદ્દે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષ આજે પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો. હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદો સાથે નીટ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે વિપક્ષના સાંસદો સાથ ચર્ચા કરવાની માંગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ આગ્રહ કર્યો કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પહેલા ચચર્િ કરવામાં આવે. વિપક્ષના નેતાએ કહ્યું કે અમે વિપક્ષ અને સરકાર વતી ભારતના વિદ્યાર્થીઓને સંયુક્ત સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો ગણીએ છીએ. તેથી, અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓને માન આપવા માટે આજે નીટ વિશે ચર્ચા કરીશું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગઈકાલે તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક મળી હતી અને તેમાં સર્વસંમતિ હતી કે આજે આપણે નીટ મુદ્દે ચચર્િ કરવા માંગીએ છીએ. ગૃહમાં નીટ પર ચચર્િ થવી જોઈએ. ગૃહમાં હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે આ યુવાનોનો મુદ્દો છે અને તેના પર યોગ્ય ચર્ચા થવી જોઈએ અને આદરપૂર્ણ ચર્ચા થવી જોઈએ. તમે પણ આ ચચર્મિાં જોડાઓ, યુવાનોની વાત છે. આ સંદેશ સંસદમાંથી જવો જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ એકસાથે વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છે.
કોંગ્રેસના કેટલાક સાંસદોએ સંસદના બંને ગૃહોમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નિષ્ફળતા પર ચચર્નિી માંગ સાથે નોટિસ દાખલ કરી છે. પાર્ટીના રાજ્યસભા સભ્યો સૈયદ નાસિર હુસૈન અને રંજીત રંજને રાજ્યસભામાં નિયમ 267 હેઠળ નોટિસ આપી છે. હુસૈને તેમની નોટિસમાં જણાવ્યું હતું કે ગૃહમાં આજે સૂચિબદ્ધ તમામ કામકાજ સ્થગિત કરીને, નીટ -યુજી અને યુજીસી-નેટ સહિતની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવા અને એનટીએની નિષ્ફળતા પર ચચર્િ થવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસના સભ્ય મણિકમ ટાગોરે આ વિષય પર ચચર્નિી માંગ સાથે સ્થગિત નોટિસ આપી હતી.
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેમની પાસે આવું કરવા માટે કોઈ બટન નથી. તે જ સમયે, હવે કોંગ્રેસે આ મુદ્દા પર હુમલો કર્યો છે અને કહ્યું છે કે, એક તરફ નરેન્દ્ર મોદી નીટ પર કંઈ નથી બોલી રહ્યા, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગૃહમાં યુવાનોનો અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ આવા ગંભીર મુદ્દા પર માઈક બંધ કરી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech