બોમ્બે હાઈકોર્ટે પ્રખ્યાત ચિત્રકારો એફએન સોઝા અને અકબર પદમસી દ્વારા બનાવેલા ન્યુડ પેઈન્ટીંગ જપ્ત કરવા અંગે કસ્ટમ અધિકારીઓને સવાલ કયર્િ છે. ગયા વર્ષે અશ્લીલ સામગ્રી હોવાના આધારે આ ચિત્રો જપ્ત કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે મધ્યપ્રદેશના ખજુરાહોમાં સ્થિત મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે સત્તાવાળાઓને આ કલાકૃતિઓનો નાશ કરતા પણ રોક્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂન અને ઑક્ટોબર 2022 માં, પદમસીના 3 અને સોઝાના 4 ન્યુડ પેઈન્ટીંગ લંડનમાં રોઝબેરી અને સ્કોટલેન્ડમાં ટર્નબુલ પાસેથી હરાજીમાં ખરીદવામાં આવ્યા હતા. એપ્રિલ 2023માં જ્યારે આ કલાકૃતિઓ ભારતમાં લાવવામાં આવી ત્યારે કસ્ટમ્સે તેમને જપ્ત કરી લીધા. આ પછી, અરજીકર્તા બીકે પોલિમેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેમને મુક્ત કરવા માટે પત્ર લખ્યો હતો.
જસ્ટિસ એમએસ સોનક અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની ડિવિઝન બેન્ચે શહેરના બિઝનેસમેન અને આર્ટીફેક્ટ એક્સપર્ટ મુસ્તફા કરાચીવાલાની કંપ્\ની બીકે પોલિમેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન જસ્ટિસ સોનકે પૂછ્યું કે જો કસ્ટમ અધિકારીઓની ધારણા જ લાગુ કરવામાં આવે છે, તો અશ્લીલ સામગ્રી બાબતે તમે ખજુરાહોના મંદિરો વિશે શું કહેશો?
બેન્ચે કહ્યું કે સોઝા અને પદમસી પ્રખ્યાત કલાકારો છે. કોર્ટમાં પહોંચેલા અરજદારના વકીલ શ્રેયસ શ્રીવાસ્તવે કહ્યું કે કસ્ટમ્સે નિષ્ણાતોના મંતવ્યો પર પણ વિચાર કર્યો નથી. તે જ સમયે, કસ્ટમ અધિકારીઓના વકીલ જિતેન્દ્ર મિશ્રાએ કહ્યું, તે પ્રતિબંધિત સામગ્રી હતી, જે અશ્લીલ સામગ્રી હેઠળ આવે છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કસ્ટમ્સ એક્ટના 1964ના નોટિફિકેશનના આધારે કરવામાં આવી હતી, જેના હેઠળ સાર્વજનિક વ્યવસ્થા અને નાગરિકતા જાળવવાના હેતુથી માલની આયાત અટકાવી શકાય છે. કોર્ટે કહ્યું, પ્રતિવાદી (કસ્ટમ ડિપાર્ટમેન્ટ)ને 1 જુલાઈ, 2024ના આદેશ અનુસાર જપ્ત કરાયેલી કલાકૃતિઓને આગળના આદેશ સુધી નષ્ટ કરવા પર પ્રતિબંધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech