પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટે બનાવાયેલ આવાસ યોજનામાં વધુ એક વખત છતમાંથી ધડાકાભેર પોપડા ખરતા નાશભાગ થઇ હતી. આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ઉભી થઇ રહી છે છતા પોરબંદર નગરપાલિકાનું તંત્ર સમારકામ કરાવતુ નથી તેથી કોઇનો જીવ જાય તેની તંત્ર રાહ જોતુ હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે તેથી પોરબંદર નગરપાલિકાની આ નીતિ સામે લોકઆક્રોશ વધવા પામ્યો છે.પોરબંદર શહેરમાં મિશન સીટી યોજના હેઠળ ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ બોખીરા વિસ્તારમાં કરવામાં આવ્યુ છે. આવાસ નિર્માણની શઆતથી જ તેની ગુણવત્તા પર સવાલો ઉઠયા હતા અને આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ પણ કરાયા હતા. ૨૪૪૮ ફલેટમાં ગરીબ અને જરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે. તેનું બાંધકામ ખૂબજ નબળુ થયુ હોવાના કારણે અનેક વખત છતના પોપડા ખરવાના બનાવ બન્યા છે ત્યારે આવાસ યોજનામાં ૪૮ નંબરના બ્લોકમાં ફલેટની લોબીની છતના પોપડા ખરતા નાસભાગ મચી હતી. સદભાગ્યે કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી. મોટા ભાગના ફલેટ જર્જરિત હોવાથી લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. દીવાલોમાં અને છતમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અનેક સ્થળોએ પાઇપલાઇન અને પાણીના ટાંકા પણ લીકેજ છે. જેના લીધે થોડા સમય પૂર્વે જ એક પંખો સળગ્યો હતો. વારંવાર અકસ્માત સર્જાવા છતા પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી. આથી સ્થાનિકોએ એવો સવાલ કર્યો છે કે કોઇનુ મોત થશે કે મોટો અકસ્માતથશે ત્યારબાદ જ પાલિકાની ઉંભ ઉડશે કે કેમ? પાલિકા તંત્રએ આળસ ત્યજી વહેલીતકે સર્વે હાથ ધરી સમારકામ કરવુ જોઇએ તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech