જામનગરના રણજીતસાગર ડેમમાંથી અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો

  • May 03, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રણજીતસાગર ડેમ માં આજે સાંજે એક મૃતદેહ પાણીમાં તરતો હોવા નું ધ્યાન માં આવતાં સ્થાનિક લોકોએ મૃતદેહ ને બહાર કાઢ્યો છે, અને પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર ડેમમાં બપોર પછીના સમયે એક માનવ મૃતદેહ તરતો હોવાની જાણકારી મળતાં આસપાસના વિસ્તારના લોકોએ પાણીમાં ઉતરીને મૃતદેહ અને બહાર કાઢીને કાંઠે રાખ્યો હતો, તેમ જ પોલીસને જાણ કરી હતી. જેથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાઢલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે મૃતક યુવાનની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. તેણે કાળા કલરનું પેન્ટ અને આખી બાય નો આછા દુધિયા કલરનો ફૂલ ની ડિઝાઇન વાળો શર્ટ પહેર્યો છે. જ્યારે તેની ઉંમર ૩૫ વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application