શહેરની ભાગોળે વાવડી રાધેશ્યામ ગોૈશાળા નજીક પ્રૌઢવયના વ્યક્તિ બેભાન હાલતમાં જોવા મળતા કોઈએ 108ને જાણ કરી હતી, 108ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી તપાસ કરતા મૃતદેહ મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટી-૧૦માં રહેતાં જયુભા મંગળસિંહ જાડેજા (ઉ.વ.૫૮)નો હોવાનું ખુલતા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલએ દોડી આવ્યા હતા.
મૃતક જયુભા જાડેજા તા.૨૧ના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. મોડે સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગઇકાલે તેમની લાશ મળી હતી. પરિવારના કહેવા મુજબ પ્રૌઢને અકસ્માત થયા બાદ ભુલી જવાની બિમારી લાગુ પડી હતી. આ બિમારીને કારણે ઘરેથી નીકળી ગયા હતા. મૃતકના પુત્ર પોલીસમાં ફરજ બજાવે છે. બનાવને પગલે પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech