ભદ્રાવળના યુવાનનો શંકાસ્પદ રીતે મળી આવ્યો મૃતદેહ

  • March 21, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ભદ્રાવળ -૧ ખાતે રહેતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવાનના મોત અંગે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા પેનલ પીએમ અર્થે ભાવનગર સર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તળાજાના ભદ્રાવળ ગામે રહેતા આશરે બાવીસ વર્ષીય યુવકનો મૃતદેહ તે પોતે જે આઈશર વાહન લઈને ગયેલ તેમાંથી જ ગામ નજીક મળી મળી આવ્યો હતો. મૃતકના નાક, હોઠ અને નાકમાંથી નીકળેલ સફેદ પ્રવાહી, જાંબલી કલરના હોઠ, ગળા પર નિશાન એફએસએલ પીએમ કરાવવા તબીબનો અભિપ્રાય લેવા જાણ કરાઈ હતી.

આ બનાવ અંગે તળાજા રેફરલ હોસ્પિટલ મળતી પ્રાથમિક વિગતો મુજબ ભદ્રાવળ ગામે રહેતા રહેતા અને પોતાની માલિકીનું આયશર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ મગનભાઈ પરમારનો મૃતદેહ ગામની નજીક કેનાલ પાસે પાર્ક કરાયેલા પોતાના જ આઈશરમાંથી મળી આવેલ હતો. મૃતક યુવાન મહેશભાઈના નાનાભાઈ જગદીશભાઈ અને તેના પરિવારજનોનું કહેવું છે કે, મહેશભાઈ પોતાનું આઇશર લઇને મહુવા જવા નીકળેલ હતા. અને રાત્રે ઘરે આવી જાય પણ મોડે સુધી ન આવતા મોબાઈલ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ દેખાડતો હતો. પરંતુ વહેલી સવારે ત્રણેક વાગ્યા બાદ ફોન સ્વીચ ઓફ ફોન રણકવા લાગ્યો હતો. પરંતુ રિસીવ થતો ન હતો. ત્યારે સવારે જગદીશભાઈ ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે ભાઈનું આઈશર ટ્રક જોઈ જતા તપાસ કરતા ડ્રાઈવર કેબિનમાં મૃત હાલતે જોવા મળતા ગભરાઈ જવાના કારણે પોલીસને બોલાવવાના બદલે સીધો ઘરે આયશર ટ્રક હંકારીને પોતે ગયેલ હતા. બાદ પી.એમ. માટે તળાજા લાવેલ. મૃતદેહને જોતા તેમના નાકમાંથી સફેદ કલરનું પ્રવાહી, જાંબલી કલરના હોઠ અને ગળાના ભાગે ફાંસો (દોરી)ના નિશાન જોવા મળ્યા હતા. બનાવ મામલે તળાજા પોલીસે ઈન્કવેસ્ટ ભરીને મોતનું સાચું કારણ બહાર લાવવા માટે પોલીસે ફોરેન્સિક લેબમાં પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે મોકલાવી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application