શું આંખનો રગં વશં સાથે સંબંધિત હોઈ શકે છે? શું સમાન રંગની આંખો ધરાવતા લોકોના પૂર્વજો સમાન હોય છે? આ પ્રશ્નો અત્યાર સુધી કોયડો હતા. એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના તમામ બ્લૂ આંખોવાળા લોકોના પૂર્વજો સમાન હોઈ શકે છે.
ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીમાં સેલ્યુલર અને મોલેકયુલર બાયોલોજી વિભાગના પ્રોફેસર હસં એબર્ગની આગેવાની હેઠળના સંશોધનમાં ૬ થી ૧૦ હજાર વર્ષ પહેલાંના જનીન પરિવર્તનની ઓળખ કરવામાં આવી હતી. સંશોધકોનું કહેવું છે કે આ મ્યુટેશનને કારણે મનુષ્યમાં વાદળી આંખોનો ઉદભવ થયો. પરિવર્તનથી આસીએ–૨ જનીન બદલાઈ ગયું. આસીએ–૨ જનીનમાં પરિવર્તનને કારણે 'પી' પ્રોટીનમાં ફેરફાર થઈ શકે છે, જે મેલાનિનના નિર્માણ અને ફેલાવાને અસર કરે છે. જે લોકોનું શરીર ઓછી માત્રામાં મેલાનિન ઉત્પન્ન કરે છે તેમની ત્વચા, વાળ અને આંખોનો રગં સામાન્ય માણસો કરતાં ખૂબ અલગ હોય હોય છે.
સંશોધનના મુખ્ય લેખક હસં એબર્ગ કહે છે કે આસીએ–૨ જીન સામાન્ય વસ્તીમાં આંખોના રંગમાં ફેરફાર સાથે સંકળાયેલું છે. મેલાનિનના જથ્થા અને વિતરણને અસર કરતા જનીનોના વિવિધ સંસ્કરણોને કારણે આંખનો રગં વાદળી અથવા ભૂરો હોઈ શકે છે. સંશોધકોએ જોર્ડન, ડેનમાર્ક અને તુર્કી સહિતના ઘણા દેશોના લોકોની આંખોના રગં અને માઇટોકોન્ડ્રીયલ ડીએનએની તપાસ કરી. તે કહે છે કે તેને અસ્તિત્વ માટેના સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા નથી અને ન તો તે સારી કે ખરાબ અસરો સૂચવે છે. કુદરત માનવ જીનોમમાં સતત ફેરફારો કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech