આ ઝડપથી બદલાતી જીવનશૈલીના કારણે લોકો આજકાલ અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ એ આ સમસ્યાઓમાંથી એક છે. જેનાથી આજકાલ ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આ રોગ વિશ્વભરમાં ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ભારતમાં તાજેતરના ભૂતકાળમાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જે ઘણીવાર દવાઓ અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારોની મદદથી નિયંત્રિત થાય છે.
આ રોગમાં બ્લડ સુગર લેવલ પર મહત્તમ ધ્યાન આપવું પડે છે. બ્લડ સુગર લેવલમાં કંઈ ફેરફાર થાય તો ડાયાબીટીશ વધી શકે છે. કેટલાક ખાદ્યપદાર્થો અને પીણાઓની મદદથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકો છો, પરંતુ આ સિવાય કેટલાક પાંદડાની મદદથી પણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકો છો.
મીઠો લીંબડો
મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જો કે તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ પ્રદાન કરે છે. તેને આહારમાં સામેલ કરવાથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કારેલાના પાન
કારેલા ગુણોનો ભંડાર છે, સ્વાદમાં કડવા હોય તેવું લાગે છે. પરંતુ શું જાણો છો કે તેના પાન પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમાં બ્લડ શુગર લેવલ ઘટાડવાની ક્ષમતા હોય છે.
ફુદીનાના પાન
મેંગેનીઝ, આયર્ન, ફોલેટ અને વિટામિન એથી ભરપૂર ફુદીનાના પાન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને ઠંડક આપવા ઉપરાંત તે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
પાલક
આયર્ન અને ફાઈબરથી ભરપૂર પાલક સ્વાસ્થ્યમાટે ઘણી રીતે ફાયદાકારક છે. તેને આહારમાં સામેલ કરવાથી ન માત્ર આયર્નની ઉણપ દૂર થાય છે, પરંતુ તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
લીમડાના પાન
જો ડાયાબિટીસના દર્દી છો તો લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તે સામાન્ય બ્લડ સુગરના લેવલને જાળવવામાં મદદ કરે છે અને તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે.
અશ્વગંધા
આયુર્વેદમાં સદીઓથી અશ્વગંધાનો ઉપચાર ઘણી સમસ્યાઓના ઉકેલ તરીકે કરવામાં આવે છે. આ એક ઔષધિ છે. જેને ભારતીય જિનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ટાઇપ 2 ડાયાબિટીસ હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech