આવતીકાલે સવારે 8 થી સાંજે પ વાગ્યા સુધી રક્ત એકત્રિત કરાશે
રક્તદાનને સાંપ્રત સમયનું સૌથી મોટું દાન ગણવામાં આવે છે. કારણ કે રક્તદાન એ કોઈ પણ મહામૂલી માનવ જિંદગી બચાવવામાં સૌથી મોટું યોગદાન આપતું હોય છે. જેને ધ્યાને લઇ સ્વ. બકુલસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જામનગર નજીકના વાણિયાગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આવતીકાલે તા. 8 માર્ચને શનિવારના રોજ કેમ્પ યોજાશે.
સત્કાર્યમાં જેઓએ પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધુ તેવા સ્વ. બકુલસિંહ જાડેજાની પુણ્યતિથિને સમાજ સેવાના કાર્યક્રમ થકી ઉજવવાનો પરિવારજનો દ્વારા નિધર્રિ કરાયા બાદ માનવજાતની મહાન સેવા સમાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. શનિવારે જામનગરના વાણિયાગામને આંગણે રક્તદાન કેમ્પ યોજાશે. સવારે 8:00 વાગ્યાથી લઈ સાંજે 5:00 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ધમધમ છે. આ અવસરે આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદ મહારાજ શ્રી તથા સ્વામિનારાયણના સંપ્રદાયના પૂ. ચત્રભુજદાસજી મહારાજશ્રી આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપી કાર્યક્રમને દીપાવશે.
સત્કાર્યના આ પવિત્ર અવસરે યુવાનોએ ઉમટી પડી રક્તદાન કરવા માટે જામનગર જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ગીરીરાજસિંહ બકુલ સિંહ જાડેજા (રામભાઈ મો.9375511111) દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech