અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મના આધારે નાગરિકતા આપતા કાયદા પર આકરી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે યારે આ કાયદો બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેનો હેતુ ગુલામોના બાળકોને નાગરિકતા આપવાનો હતો. આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો ન હતો કે દુનિયાભરના લોકો અમેરિકા આવીને તેને બરબાદ કરી શકે. ૨૦ જાન્યુઆરીએ, તેમણે પદ સંભાળ્યાના પહેલા દિવસે, ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા કાયદાને રદ કર્યેા. પરંતુ તેમના આદેશને ફેડરલ કોર્ટ તરફથી મંજૂરી મળી ન હતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેઓ કોર્ટના નિર્ણયને પડકારશે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યેા કે સુપ્રીમ કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો આપશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'જો તમે જન્મ દ્રારા નાગરિકતાના કાયદાના ઇતિહાસ પર નજર નાખો તો, તે ગુલામોના બાળકો માટે બનાવવામાં આવ્યો હતો. આખી દુનિયા આવીને અમેરિકાનો નાશ કરે તેવું નહોતું. તેમણે કહ્યું કે હવે અહીં દરેક પ્રકારના લોકો આવી રહ્યા છે. એટલું જ નહીં, અયોગ્ય લોકો અહીં અયોગ્ય બાળકો પેદા કરી રહ્યા છે. આ કાયદો એવા લોકો માટે નહોતો જેઓ અહીં આવીને સ્થાયી થયા છે. તેમણે કહ્યું કે યારે આ કાયદો બનાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હતો અને ગુલામોના બાળકોને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો હતો. આ કાયદો જે હેતુથી આવ્યો તે સાચો હતો અને હત્પં તેના પક્ષમાં ૧૦૦ ટકા છું. પણ એનો અર્થ એ નથી કે દુનિયાભરના લોકો અહીં આવીને અમેરિકા પર કબજો કરી લે.
તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં આ કેસ જીતીને આ મુદ્દાનો અતં લાવીશું. અમને લાગે છે કે અમે આ કેસ જીતીશું. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ અઠવાડિયે, રિપબ્લિકન પાર્ટીના કાયદા નિર્માતાઓએ જન્મજાત નાગરિકત્વ પર પ્રતિબધં મૂકવા માટે સેનેટમાં એક બિલ પણ રજૂ કયુ. આ બિલમાં એવી જોગવાઈ છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના બાળકોને નાગરિકતા ન આપવી જોઈએ. આ ઉપરાંત, જે લોકો કામચલાઉ વિઝા પર આવ્યા હતા, જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે અને જેઓ હજુ પણ ત્યાં સ્થાયી છે તેમના બાળકોની નાગરિકતા પર પણ પ્રતિબધં મૂકવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. ગયા અઠવાડિયે જ, લગભગ ૫૦૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમાંથી ૩૫૦ થી વધુ લોકોને દેશની બહાર છોડી દેવામાં આવ્યા હતા. અમેરિકા વિશ્વના ૩૩ દેશોમાંનો એક છે યાં જન્મજાત નાગરિકત્વની જોગવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech