જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક એસટી બસની ઠોકરે બાઈક ચાલક યુવાનનો ભોગ

  • May 05, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર- રાજકોટ ધોરી માર્ગ ફરીથી રકત રંજીત બન્યો છે. અને એસટી બસની એક બાઈક ચાલક પરપ્રાંતીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કંકાવટી ડેમના ક્વાર્ટર્સમાં રહેતો અને મૂળ બિહારનો રામુભાઈ સહાની નામનો ૨૨  વર્ષનો પરપ્રાંતિય યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને ફલ્લા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ વેગે આવી રહેલી જી.જે.-૧૮ ઝેડ ૩૩૯૫ નંબરની એસ.ટી. બસના ચાલકે બાઈકને હડફેટેમાં લઈ ફંગોળી નાખ્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક રામુભાઈ નું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક ની પત્ની ખુશ્બુ દેવી રામુભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application