વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને મોટો ફટકો, ચાર નેતાઓએ પાર્ટી છોડી

  • July 17, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટી માટે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ આ એક મોટો ફટકો સાબિત થયો છે. માનવામાં આવે છે કે આ સપ્તાહના અંતમાં ચારેય મોટા નેતાઓ શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીમાં સામેલ થઈ શકે છે.


આ 4 મોટા નેતાઓ જેમણે આપ્યું રાજીનામું


  • NCPના પિંપરી-ચિંચવડ યુનિટના વડા - અજીત ગવાને

  • રાહુલ ભોસલે

  • યશ સાને

  • પંકજ ભાલેકર


અજિત પવારની આગેવાની હેઠળની NCPમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી  NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાનેએ મંગળવારે કહ્યું કે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું. આજે અમે અન્ય વિધાનસભા મતવિસ્તારના તમામ ભૂતપૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરીશું. તે પછી અમે અમારી ભાવિ રણનીતિ નક્કી કરીશું.


સોમવારે રાજીનામું આપ્યા બાદ ચારેય નેતાઓ શરદ પવારના આશીર્વાદ લેવા આવશે. અજિતે કહ્યું કે અમે સાથે મળીને નિર્ણય લઈશું. મારી સાથે રાહુલ ભોસલે, યશ સાને અને પંકજ ભાલેકરે પણ રાજીનામું આપ્યું છે. જો પિંપરી ચિંચવડ શહેર પર વિષે જાણીએ તો તે ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યું હતું અને તેમાં અજિત પવારનો મોટો ફાળો હતો પરંતુ 2017 થી ભાજપે PCMC (પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન) પર કબજો કરવાનું શરૂ કર્યું અને ત્યારથી વિકાસ ખોટા માર્ગે ચાલી રહ્યો છે. જો તમે અન્ય મતવિસ્તારો પર નજર નાખો તો જે પ્રકારનો વિકાસ થયો છે તે દર્શાવે છે કે અહીં ખોટી બાબતો થઈ છે. ભ્રષ્ટાચાર પણ થયો છે. આ માટે હાલના ધારાસભ્ય જવાબદાર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application