ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને આગામી બજેટ ૨૦૨૫–૨૬માં આ ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે કેટલીક મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. આ અહેવાલમાં, આપણે એવી સંભવિત જાહેરાતો વિશે વાત કરીશું જે આ ક્ષેત્રને નવી દિશા આપી શકે છે અને શેરબજાર પર પણ અસર કરી શકે છે.પહેલી જાહેરાત ઉડ્ડયન માળખાગત સુવિધાઓમાં રોકાણ અંગે હોય શકે છે. સરકારે પહેલાથી જ સંકેત આપ્યો છે કે, તે એરપોર્ટ અને એરલાઇન સેવાઓમાં મોટાપાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ ફકત હાલના એરપોર્ટના વિસ્તરણ માટે જ નહીં પરંતુ નવા એરપોર્ટના નિર્માણ માટે પણ હશે. આનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે.બીજી જાહેરાત નવી એરલાઇનના લાઇસન્સ અંગે હોય શકે છે. વાસ્તવમાં, સરકાર નવી એરલાઇન્સને લાઇસન્સ આપવાનું વિચારી રહી છે, જેનાથી સ્પર્ધા વધશે અને મુસાફરોને સારી સેવાઓ મળશે. આ કારણે, હાલની એરલાઇન્સને પણ તેમના સેવા સ્તરમાં સુધારો કરવાનું વિચારવું પડશે.ત્રીજી જાહેરાત ઉડ્ડયન બળતણ પર કર મુકિત અંગે હોય શકે છે. ઉડ્ડયન ઈંધણ પર કરમુકિત આપવાનો પ્રસ્તાવ પણ ચર્ચા હેઠળ છે. આનાથી એરલાઇન્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી તેઓ ટિકિટના ભાવ સ્પર્ધાત્મક રાખી શકશે.ચોથી જાહેરાત સુરક્ષા અને તકનીકી સુધારાઓ પર હોય શકે છે. સુરક્ષા મજબૂત કરવા અને નવી ટેકનોલોજી અપનાવવા માટે બજેટમાં ભંડોળની જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી માત્ર સલામતી જ નહીં વધે પણ હવાઈ મુસાફરીનો અનુભવ પણ સુધરશે.પાંચમી જાહેરાત ડિજિટલાઇઝેશન અને સ્માર્ટ એરપોર્ટ પર હોય શકે છે. હકિકતમાં, સરકાર સ્માર્ટ એરપોર્ટના વિકાસ પર ભાર મૂકી શકે છે, જેમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી મુસાફરોને અનુકૂળ મુસાફરીનો અનુભવ મળશે.આ સંભવિત જાહેરાતોની સીધી અસર ઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓના શેર પર પડી શકે છે. જો બજેટમાં સકારાત્મક જાહેરાતો થાય છે તો ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના શેરમાં વધારો જોવા મળી શકે છે. નિષ્ણાંતો માને છે કે, જો સરકાર ઉડ્ડયન ઈંધણ પર કરમુકિત આપવાનો નિર્ણય લે છે તો તેનાથી એરલાઇન્સનો નફો વધી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech