ફીલ્મ રીલીઝ થાય તે પહેલા જ તેનું બ્રાન્ડીંગ આટલી ઉત્તેજના જગાવે તેવું ભાગ્યે જ બને. સ્રી 2ની દમદાર સફળતા હજુ તાજી જ છે ત્યાં તો રીલીઝ પહેલા જ, ભૂલ ભૂલૈયા 3 એ નવો રેકોર્ડ બનાવ્યો, જે 24 કલાકમાં કોઈ પણ ફિલ્મ કરી શકી ન હતી, ભૂલ ભૂલૈયા 3 ના ટ્રેલરને ચારે બાજુથી ખૂબ પ્રશંસા મળી રહી છે અને તે અત્યાર સુધી સૌથી વધુ જોવામાં આવ્યું છે. આ ટ્રેલર માત્ર 24 કલાકમાં જ લાખો વ્યૂ મેળવીને હિટ બન્યું છે.ભૂલ ભૂલૈયા 3 એ તેની રિલીઝ પહેલા જ આ રેકોર્ડ બનાવ્યો, જે 24 કલાકમાં કાર્તિકની કોઈ ફિલ્મ કરી શકી નથી.ભુલ ભુલૈયા 3 ટ્રેલર યુટ્યુબ પર 155 મિલિયન વ્યુઝને પાર કરે છે: ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે અને તેને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની ટીમે રાજ મંદિર સિનેમા જયપુરમાં ટ્રેલર સાથે પ્રમોશનલ કેમ્પેનની શરૂઆત કરી હતી, જેના કારણે ફિલ્મની ચચર્િ જોરમાં છે. ટ્રેલરને માત્ર 24 કલાકમાં 155 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જે તેને સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર બનાવે છે. ભૂલ ભુલૈયા 3 નું મજેદાર અને હોરરથી ભરપૂર ટ્રેલર ફિલ્મની રિલીઝની ઉત્તેજના વધારી રહ્યું છે. તેને અન્ય કોઈપણ ટ્રેલરની તુલનામાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે ફિલ્મની રિલીઝની ઉત્તેજનાને એક અલગ સ્તર પર લઈ જઈ રહ્યો છે.
કાર્તિક આર્યન ફરી એકવાર સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયા 2 માં રૂહ બાબાની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે તૃપ્તિ ડિમરી, અસલી મંજુલિકા, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. તેથી તમારા કેલેન્ડરને ચિહ્નિત કરો, કારણ કે ભૂલ ભૂલૈયા 3 આ દિવાળીએ એટલે કે 1લી નવેમ્બર 2024ના રોજ ભવ્ય રિલીઝ થવાની તૈયારીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના મહેસાણામાં કરૂણ અકસ્માત, માટી ધસી પડતા અનેક મજૂરો દટાયા, 7ના મોત
October 12, 2024 04:26 PMહરિયાણામાં દશેરાના દિવસે ગંભીર અકસ્માત સર્જાયો, કાર કેનાલમાં ખાબકતા 7 ના મોત
October 12, 2024 04:12 PMશોએબ અખ્તર, રમીઝ રાજા અને બાસિતે પોતાની જ ટીમને ફટકારી, કહ્યું શરમજનક હાર
October 12, 2024 03:57 PMઆખરે નંદીએ લંકાના રાજા રાવણને શા માટે આપ્યો શ્રાપ, જાણો તેની પાછળનું કારણ
October 12, 2024 03:51 PMRSSનો વિજયાદશમી પર્વઃ જાણો દશેરા પર RSS શસ્ત્રોની પૂજા કેમ કરે છે
October 12, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech