પોરબંદરના પત્રકારત્વ જગતને ઉજળું કરનારા ભીષ્મપિતામહ સમા સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોષીનું લાંબી બીમારી બાદ મંગળવારે સાંજે રાજકોટ ખાતે દુખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.અને પોરબંદર ખાતે તેમના પાર્થિવ દેહને મોડી રાત્રે લવાયા બાદ તેમની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમની અંતિમવિધિ પોરબંદરના હિંદુ સ્મશાન ભુમિ ખાતે કરવામાં આવી હતી. પ્રકાશભાઈના પિતા એવા સ્વાતંત્રસેનાની જેઠાલાલભાઈ જોષી પાસેથી પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લઇને તેમણે માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના પત્રકારત્વમાં પણ ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. અપુરતી સુવિધાઓ અને કપરા સંજોગો વચ્ચે પણ તેમણે પોતાના બનાવેલા સિધ્ધાંતો સાથે કયારેય બાંધછોડ કરી નથી અને ભલભલા ચમરબંધીઓને પણ કયારેય છોડયા નથી.તટસ્થ અને નીડર પત્રકારત્વનું ઉદારહણ પુ પાડનારા પ્રકાશભાઈ જોષીએ તેમના આ ક્ષેત્રમાં છેવાડાના માનવીઓની પણ મદદ કરી છે.
અને પોતાની તેજાબી કલમ દ્રારા ન્યાય અપાવ્યો છે. ગમે તેવી કપરી પરિસ્થિતી હોય તો પણ તેમણે સંઘર્ષ કરીને સામા પવને ચાલીને પણ પોરબંદર માટે ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત તબીયતને કારણે પથારીવશ હતા અને રાજકોટ ખાતે સ્થાયી થયા હતા. તેમના નિધનથી પોરબંદરના પત્રકારત્વ જગતને ખુબ મોટી ખોટ પડી છે.તેમના પુત્ર એવા પોરબંદર આજકાલના નિવાસીતંત્રી પાર્થ જોષી પણ પિતાએ ચીંધ્યા માર્ગે તટસ્થતાથી પત્રકારત્વના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે.
પ્રકાશભાઈ જોષીના દુ:ખદ અવસાનના સમાચારથી પોરબંદરમાં અને પત્રકારત્વ જગતમાં ઘેરો શોક જોવા મળ્યો છે. તેમની અંતિમ યાત્રા સવારે તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે વિશાળ સંખ્યામાં ધર્મગુઓ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, વેપાર ઉધોગ સાથે સંકળાયેલી સંસ્થાના લોકો તેમજ પત્રકારો તથા વિશાળ સંખ્યામાં અખબારી વિતરકો જોડાયા હતા.અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમની પ્રાર્થનાસભા ગુવાર તા. ૨૫૦૧૨૪ ને સાંજે ૪ થી ૫ કલાકે નટવરસિંહજી કલબ ગ્રાઉન્ડ, તાજાવાલા મહાજન વાડી પાસે રાખેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech