ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને સિંહને ગાડી અડફેટથી બચાવ્યો

  • September 21, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર રેલ્વે મંડળ સિંહો-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૬૬ સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ૧૯મીને  ગુરુવારે લગભગ ૧૮ કલાકે, લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્ય મથક - જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ (મુખ્ય મથક - જૂનાગઢ) કિમી. ૧૧૪/૪ - ૧૧૪/૩ સાસણગીર-કાંસિયાનેશ સેક્શન વચ્ચે રેલ્વે પાટા પર ૧ સિંહ બેઠેલા જોવા મળ્યા ત્યારે પેસેન્જર ગાડી નંબર ૦૬૩૯૪ દેલવાડા-જૂનાગઢને ઈમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ગાડી મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સિંહ પાટા પરથી ખસી ગયા બાદ લોકો પાયલટ દ્વારા ગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
માહિતી મળતાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application